
ફરિયાદીની ગેરહાજરી કે મૃત્યુ
(૧) સમન્સ ફરિયાદ ઉપરથી કાઢેલ હોય અને આરોપીને હાજર થવા માટે નકકી થયેલા દિવસે અથવા ત્યાર પછીના જે દિવસ ઉપર સુનાવણી મુલતવી રાખવામાં આવે તે દિવસે ફરિયાદી હાજર ન થાય તો આમા આ પહેલા ગમે તે મજકુર હોય તે છતા મેજિસ્ટ્રેટે કોઇ કારણસર કેસની સુનાવણી કોઇ બીજા દિવસ ઉપર મુલતવી રાખવાનુ પોતાને યોગ્ય લાગે તે સિવાય આરોપીને નિદોષ ઠરાવી છોડી મુકવો જોઇશે
પરંતુ ફરિયાદી વતી કોઇ વકીલ કે ફોજદારી કામ ચલાવનાર અધિકારી રજુઆત કરી રહયા હોય ત્યારે અથવા મેજિસ્ટ્રેટનો અભિપ્રાય એવો થાય કે ફરિયાદીએ જાતે હાજર રહેવાનો જરૂર નથી તો મેજિસ્ટ્રેટ તેની હાજરી વિના ચલાવી લઇ કેસની કાયૅવાહી કરી શકશે
(૨) પેટા કલમ (૧)ની જોગવાઇઓ શકય હોય તેટલે સુધી ફરિયાદીની ગેરહાજરી તેના મૃત્યુને લીધે હોય ત્યારે પણ લાગુ પડશે
Copyright©2023 - HelpLaw